પુરાણો સાથે જોડાયેલ અવનવા વૃક્ષની વાતો
સ્કંદ પુરાણમાં એક અદ્ભૂત શ્લોક છે.
अश्वत्थमेकम् पिचुमन्दमेकम्
न्यग्रोधमेकम् दश चिञ्चिणीकान् ।
कपित्थबिल्वाऽऽमलकत्रयञ्च.
पञ्चाऽऽम्रमुप्त्वा नरकन्न पश्येत्।।
अश्वत्थः = પિપળો
पिचुमन्दः = લિમડો
न्यग्रोधः = વડ વૃક્ષ
चिञ्चिणी = આમલી
कपित्थः = કોઠા (કવિટ)
बिल्वः = બિલિ
आमलकः = આમળા
आम्रः = આંબો
उप्ति = છોડ લગાવવા
અર્થાત :- જે કોઈ આ વૃક્ષોના છોડનું રોપણ કરશે, તેમની દેખભાળ કરશે તેને નર્કના દર્શન નહીં કરવા પડે.
આ શીખામણનું અનુસરણ ન કરવાના કારણ આપણે આ જ એ પરિસ્થિતિના સ્વરુપમાં નરકના દર્શન થઈ રહ્યાં છે.હજી પણ બગડ્યું નથી, આપણે હજી પણ આપણી ભૂલ સુધારી શકીયે છીએ.
પીપળને વૃક્ષોનો રાજા કહેવામાં આવે છે. એ સબંધમાં શાસ્ત્રોમાં એક શ્લોક છેઃ
मूले ब्रह्मा त्वचा विष्णु शाखा शंकरमेवच!!
पत्रे पत्रे सर्वदेवायाम् वृक्ष राज्ञो नमोस्तुते!!
અર્થ ઃ-
પીપળો, વડ, લીમડો આદિનું વૃક્ષારોપણ કરવામાં આવશે ત્યારે ભારત દેશ પ્રદુષણમુક્ત થશે. આપણે આપણા સંગઠિત પ્રયાસોથી જ આપણા ભારતને નૈસર્ગિક આપદાઓથી બચાવી શકીશું અને નૈસર્ગિક પ્રાણવાયુ મેળવી શકીશું. અને આવનાર પેઢીને નિરોગી એવં સુજલાં સુફલાં પર્યાવરણ દઈ શકીશું.
ગુલમહોર, નિલગિરી જેવા વૃક્ષો આપણા દેશના પર્યાવરણ માટે ઘાતક છે. પશ્ચિમી દેશોનું અંધાનુકરણ કરીને આપણે પોતાનું મોટુ નુકશાન કરી લિધું છે.
પીપળો, વડ અને લીમડો જેવા વૃક્ષ રોપવાના બંધ થવાથી સૂકાની સમસ્યા વધી રહી છે. આ વાંચીને આપણને આશ્ચર્ય થશે પરંતુ એ સત્ય છે.
પીપળો ૧૦૦ % કાર્બન ડાયઓક્સાઇડ શોષિત કરે છે, વડ ૮૦ % અને લીમડો ૭૫ % શોષિત કરે છે. આ બધા વૃક્ષો વાતાવરણમાં ઑક્સીજનની માત્રા વધારે છે સાથે ધરતીના તાપમાનને પણ ઓછુ કરે છે.
આપણે આ વૃક્ષોના પૂજનની પરંપરાને અંધવિશ્વાસ માનીને તથા કથિત સામ્પ્રદાયિકતાના ચાલતા કોઈ વર્ગ વિશેયની ભાવનાઓનું ધ્યાન રાખવાના માટે આ વૃક્ષોથી અંતર પાડીને યૂકેલિપ્ટ્સ (નીલગિરી) ના વૃક્ષ સડકની બન્ને બાજુ લગાવવાની શરુઆત કરી. નીલગિરી ઝડપથી વધે છે પરંતુ આ વૃક્ષ જમીનના દળ સૂકાવવા લગાવવામાં આવે છે. છેલ્લા ૪૦ વર્ષોમાં નીલગિરીના વૃક્ષોને મોટા પ્રમાણમાં લગાવી પર્યાવરણને હાનિ પહોંચાડી છે.
Comments
Post a Comment